Friday, 11 April 2025

"અંધવિશ્વાસ સામે જાગૃતિ"

 "અંધવિશ્વાસ સામે જાગૃતિ"




ગામનું નામ હતું નવદીપ. નાનું, શાંત ગામ, જ્યાં ઝાડની ડાળીઓ પર પંખીઓના ગીતો ગુંજતાં અને સવારે ધુમ્મસની ચાદર ખેતરોને ઢાંકી દેતી. પણ આ શાંતિની વચ્ચે ગામના ચોકમાં એક અજાણ્યો બેનર લાગ્યું: "નવો યુગ, નવી આશા - એક જ નેતા, એક જ કામના!" નેતાનું નામ નહીં, ફક્ત તેનો ચહેરો, બેનર પર એક ચમકતો સૂરજ જેવો.


નવદીપમાં રહેતો રાજુ, એક યુવાન ખેડૂત, દરરોજ સવારે ચોકમાંથી પસાર થતો. એ બેનર જોઈને હસી દેતો. "આ તો ફિલ્મનું પોસ્ટર લાગે છે!" એક દિવસ એણે ગામના ચા ની લારીવાળા શંકરકાકા સાથે વાત કરી. "કાકા, આ નેતા કોણ છે? ક્યાંથી આવ્યા?"


શંકરકાકા, જેની લારી ગામના રાજકીય ગપગોળાનું કેન્દ્ર હતી, ધીમા અવાજે બોલ્યા, "રાજુ, આ નેતા શહેરમાંથી આવે છે. લોકો કહે છે એ બધું બદલી નાખશે. ગરીબોને ઘર, ખેડૂતોને પાણી, યુવાનોને નોકરી. બધું આપશે!"

"બધું?" રાજુએ ભવું ચડાવ્યું. "એવું કોઈ કેમ આપે? શું એ ભગવાન છે?"


"અરે, એના ભક્તો એવું જ માને છે," શંકરકાકાએ હસીને કહ્યું. "ગામના ઘણા લોકો એની રેલીમાં જાય છે. તું નથી ગયો?"


રાજુએ માથું ધુણાવ્યું. એને ખેતીમાં વ્યસ્ત રહેવું ગમતું. રાજકારણ એને ગડમડ લાગતું. પણ ગામનું વાતાવરણ બદલાઈ રહ્યું હતું. લોકો બે જૂથમાં વહેંચાઈ ગયા. એક જૂથ, જે આ નેતાને મસીહા માનતું, અને બીજું, જે એની વાતો પર સવાલ ઉઠાવતું. પહેલું જૂથ દિવસે દિવસે મોટું થતું જતું હતું.


એક દિવસ ગામમાં રેલી આવી. ઢોલ-નગારાં, લાલ-નીલ ઝંડા, અને નેતાના નામના નારા. રાજુ ખેતરેથી ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ભીડ જોઈ. ગામનો રમેશ, જે નેતાનો દિવાનો બની ગયો હતો, રાજુને બોલાવ્યો. "આવ, રાજુ! આજે નેતાજીની સભા છે. એક વાર સાંભળ, તારું જીવન બદલાઈ જશે!"


રાજુ અચકાયો, પણ ઉત્સુકતામાં ભીડમાં ઊભો રહ્યો. સ્ટેજ પર નેતા બોલી રહ્યા હતા. એમનો અવાજ જાદુઈ હતો. "ભાઈઓ-બહેનો, આ ગામની ગરીબી હું દૂર કરીશ! દરેક ખેતરમાં પાણી, દરેક ઘરમાં વીજળી! બસ, મને તમારો સાથ જોઈએ!" ભીડ ગર્જી ઊઠી. રાજુએ જોયું, લોકોની આંખોમાં ચમક હતી, જાણે એમને ખરેખર બધું મળી જશે.


પણ રાજુના મનમાં સવાલ ઊભો થયો. "આ બધું કેવી રીતે થશે? પૈસા ક્યાંથી આવશે? આ નેતાએ તો ગયા વર્ષે પણ આવા વાયદા કર્યા હતા, પણ શું થયું?" એણે રમેશને પૂછ્યું, "આ નેતાએ ક્યારેક કોઈ ખેતરમાં પાણી પહોંચાડ્યું? કોઈ ગામમાં રસ્તો બનાવ્યો?"


રમેશ ગુસ્સે થયો. "રાજુ, તું સમજતો નથી! નેતાજી પર શંકા કરવી એ પાપ છે! એ બધું કરશે, બસ સમય આપવો પડશે!" રાજુ ચૂપ રહ્યો. એને રમેશની આંખોમાં એક અજીબ ઝનૂન દેખાયું, જાણે એ નેતા માટે પોતાનું બધું ભૂલી ગયો હોય.


દિવસો વીતતા ગયા. ગામમાં નેતાના ભક્તો વધતા ગયા. રાજુએ જોયું, લોકો હવે નેતાની ખોટી વાતો પણ સાચી માનવા લાગ્યા. એક દિવસ ગામમાં ખબર પડી કે નેતાએ ગામની નદીનું પાણી શહેરની ફેક્ટરીઓને વેચી દીધું. ખેડૂતોના ખેતરો સૂકાવા લાગ્યા. રાજુએ રમેશને ફરી પૂછ્યું, "આ શું થયું? તારા નેતાએ તો પાણી આપવાનું હતું!"


રમેશે ગુસ્સાથી જવાબ આપ્યો, "આ બધું નેતાજીના દુશ્મનોનું કાવતરું છે! એમણે શું ખોટું કર્યું? એ તો ગામનું ભલું ઇચ્છે છે!"


રાજુએ આખરે સમજી લીધું. આ ભક્તિ નહોતી, અંધશ્રદ્ધા હતી. લોકો નેતાના નામે એટલા ઝનૂની બની ગયા હતા કે સત્ય જોવાની હિંમત ગુમાવી દીધી હતી. એ રાતે ચોકમાં ગયો, અને બેનરની નીચે એક નાનું પોસ્ટર ચોંટાડ્યું: "સત્યની શોધ કરો, નેતાની નહીં."


બીજે દિવસે સવારે ગામમાં ચર્ચા થવા લાગી. કેટલાક લોકો રાજુની વાતથી સહમત થયા, કેટલાકે એને ગાળો દીધી. પણ રાજુને ખાતરી હતી—જો એક પણ વ્યક્તિ સત્ય તરફ વળશે, તો એનું પોસ્ટર સફળ થશે.


નવદીપની શાંતિ ફરી લોકોના હૃદયમાં પાછી આવશે, એવી આશા સાથે રાજુ ખેતરે ચાલ્યો ગયો. ખેતરેથી આવ્યા બાદ રાજુએ ચોકમાં પોસ્ટર ચોંટાડ્યું ત્યારથી ગામમાં એક નવો હલચલ શરૂ થયો. 


લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક બાજુ નેતાના અંધભક્તો, જેમને રાજુનું પોસ્ટર ગામની શાંતિ ખલેલ પહોંચાડનારું લાગ્યું, અને બીજી બાજુ થોડા લોકો, જેમણે રાજુની વાતથી પ્રભાવિત થઈને સત્ય શોધવાનું શરૂ કર્યું. આ બીજા જૂથમાં ગામની શાળાની શિક્ષિકા સુમનબેન અને નાનો દુકાનદાર રમણલાલ હતા.


સુમનબેને શાળામાં બાળકોને શીખવવાનું શરૂ કર્યું કે નેતાઓની વાતો પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો, પણ એમના કામ પર નજર રાખવી. "જે વાયદા કરે, એ વાયદા પૂરા કરે છે કે નહીં, એ જોવું જોઈએ," એમણે બાળકોને સમજાવ્યું. બાળકો ઘરે જઈને આ વાતો મા-બાપને કહેવા લાગ્યા. ધીમે ધીમે ગામમાં એક નવી ચેતના જાગવા લાગી.


આ બધું નેતાના ભક્તોને બિલકુલ ગમ્યું નહીં. રમેશ, જે હવે નેતાનો મુખ્ય સમર્થક બની ગયો હતો, એક દિવસ રાજુના ખેતરે પહોંચી ગયો. "રાજુ, તું ગામમાં ઝઘડા ઊભા કરે છે! નેતાજીની વિરુદ્ધ બોલીને તું ગામનું નુકસાન કરે છે!" રમેશ ગુસ્સામાં બોલ્યો.


રાજુ શાંતિથી ખેતરમાં પાણી આપતો હતો. એણે રમેશ તરફ જોયું અને કહ્યું, "રમેશ, હું ઝઘડો નથી ઊભો કરતો. હું ફક્ત લોકોને સત્ય બતાવું છું. તારા નેતાએ નદીનું પાણી ફેક્ટરીઓને વેચી દીધું. આ ખેતરો સૂકાઈ રહ્યા છે. આ સત્ય નથી?"


રમેશ પાસે જવાબ નહોતો, પણ એનો ગુસ્સો ઓછો થયો નહીં. "તું નેતાજીના દુશ્મનો સાથે મળી ગયો છે! તને આની સજા મળશે!" એણે ધમકી આપી અને ચાલ્યો ગયો.


થોડા દિવસો પછી ગામમાં એક મોટી સભા થઈ. નેતા પોતે નવદીપ આવ્યા. ચોકમાં મોટું મંચ ઊભું કરવામાં આવ્યું. રમેશ અને એના સાથીઓએ ગામના લોકોને ભેગા કર્યા. નેતાએ સ્ટેજ પરથી બોલવાનું શરૂ કર્યું, "ભાઈઓ-બહેનો, હું તમારા માટે નવી યોજના લઈને આવ્યો છું! આ ગામમાં એક મોટું ડેમ બનશે, જેનાથી તમને પાણી મળશે!" ભીડ ફરી એક વાર નારા લગાવવા લાગી.


રાજુ, સુમનબેન અને રમણલાલ ભીડની પાછળ ઊભા હતા. રાજુએ ધીમેથી સુમનબેનને કહ્યું, "આ ડેમની વાત તો ગયા વર્ષે પણ કરી હતી. પણ કંઈ થયું નહીં. આ વખતે શું બદલાશે?"


સુમનબેને જવાબ આપ્યો, "આપણે લોકોને પૂછવું પડશે. નેતાને જવાબદાર ઠેરવવું પડશે." એમણે રમણલાલ સાથે મળીને એક નાનું પેમ્ફલેટ તૈયાર કર્યું, જેમાં નેતાના જૂના વાયદાઓ અને એમની સાચી હકીકત લખી હતી. એમણે આ પેમ્ફલેટ ભીડમાં વહેંચવાનું શરૂ કર્યું.


થોડી જ વારમાં ભીડમાં ગડબડ શરૂ થઈ. લોકો નેતાને સવાલ પૂછવા લાગ્યા. "ગયા વર્ષે ડેમનું શું થયું? નદીનું પાણી કોને વેચ્યું?" નેતા થોડો ગભરાયો, પણ એણે હસીને વાત ટાળી દીધી. "આ બધું મારા દુશ્મનોનું કાવતરું છે. તમે મને વિશ્વાસ રાખો, બધું થશે!"


પણ આ વખતે લોકો ચૂપ ન રહ્યા. રાજુ આગળ આવ્યો અને મોટા અવાજે બોલ્યો, "નેતાજી, તમે વાયદા તો ઘણા કરો છો, પણ કામ ક્યારે કરશો? અમારા ખેતરો સૂકાઈ ગયા છે. અમને પાણી જોઈએ, વાતો નહીં!" ભીડમાંથી અનેક લોકો રાજુની વાત સાથે સંમત થયા.

નેતા પાસે હવે કોઈ જવાબ નહોતો. એણે રમેશ અને એના સાથીઓને ઇશારો કર્યો, અને થોડી જ વારમાં સભા વિખેરાઈ ગઈ. નેતા ગામ છોડીને ચાલ્યો ગયો. રમેશ અને એના ભક્તો ગુસ્સામાં હતા, પણ ગામના મોટા ભાગના લોકો હવે જાગૃત થઈ ગયા હતા.


થોડા દિવસો પછી ગામના લોકોએ ભેગા મળીને એક સમિતિ બનાવી. એમણે નક્કી કર્યું કે હવે નેતાઓના ખોટા વાયદાઓમાં નહીં ફસાય, બલ્કે પોતે જ ગામની સમસ્યાઓ હલ કરશે. રાજુ, સુમનબેન અને રમણલાલની આગેવાનીમાં લોકોએ નદીનું પાણી પાછું મેળવવા માટે અધિકારીઓને પત્રો લખવાનું શરૂ કર્યું.


નવદીપમાં શાંતિ તો પાછી આવી, પણ હવે એ શાંતિ સાથે એક નવી જાગૃતિ પણ આવી હતી. લોકો સમજી ગયા હતા કે અંધભક્તિ નહીં, પણ સત્યની શોધ જ ગામનું ભવિષ્ય બદલી શકે છે.


આ વાર્તા કાલ્પનિક છે જેમાં સ્થળ, પાત્રો, ચિત્રો કાલ્પનિક છે.  જે કોઈ પણ નેતા કે  વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતું નથી, જેની નોંધ લેવી.

Friday, 25 October 2024

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ

‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ

’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ

નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત કાર્યક્રમ કેન્દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તથા રાજ્યકક્ષા મંત્રીશ્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થીતીમાં યોજાયો હતો. 



લોકાર્પણ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીની દુરંદેશીથી આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક થી લઇ કોલજ સુધી સાયન્સ ભણવા માટેની સુચારૂ વ્યવસ્થા વર્તમાન સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. 

વધુમાં તેમણે ગુજરાતને રેઇન વોટર હાર્વેસ્ટમાં મોડેલ સ્ટેટ તરીકે વિકસાવવા માટે હાથ ધરનાર કામો અંગે જાણકારી આપી સૌને ‘કેચ થ રેઇન’પ્રોજેક્ટમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય. મંત્રીશ્રીએ અમલસાડ સહિત આસપાસના ગામોમાં જાગૃત નાગરિકો દ્વારા તથા નવસારી જિલ્લામાં ૮૦૦ જેટલા બોર કર્યાના કામની સરાહના કરી હતી. 

મંત્રીશ્રીએ આ પ્રોજેટ અંતર્ગત પ્રથમ તબક્કમાં દરેક ગામ કે ખેતરમાંથી વહી જતુ પાણીને બચાવવા તથા બીજા તબક્કામાં દરેક ઘર ઉપર પડતુ પાણીને પણ જમીનમાં ઉતારવાનું સુદ્રઢ આયોજન છે એમ જાણકારી આપી હતી. તેમણે આ પ્રોજેટકને આવનાર પેઢી માટે અત્યંત મહત્વનું છે એમ જણાવી સૌને પાણી બચાવવાની મુહિમમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ સાથે નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગળની હરોળમાં રહે છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટમાં પણ આગળ રહે એમ વિનંતી કરી હતી. 

અંતે મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને બાળકોની પ્રતિભાને વધારવા પ્રોત્સાહિત કરવા તથા તેઓને માર્ગદર્શન આપતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, શિક્ષણની કેડી અંત્યોદય સુધી લઇ જવા તથા તેઓને વિકાસની ધારામાં લાવવાના ભગીરથ પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા પાણી બચાવી પ્રકૃતિને બચાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેનામાં આપણે સૌ સહભાગી થવું જોઇએ એમ આગ્રહ કર્યો હતો.

જિલ્લા ધારાસભ્યશ્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન થકી આજે 28 જેટલા વિકાસ કામોના લોકાર્પણ કરાયા બાબતે અભિનંદન પાઠવ્યા હતા.વધુમાં લોકો વરસાદી પાણી બચાવવા પ્રેરિત થાય તે માટે રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અપનાવવા અનુરોધ કર્યો હતો.

પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલે સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી શાળાના લોકાર્પણ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે ગણદેવી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ આભાર દર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટનું પણ ઉદધાટન કરાયું હતું. આ સાથે ગણદેવી વિસ્તારની વિવિધ શાળાના બાળકલાકારોને વિવિધ કક્ષાએ વિજેતા બનતા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોની વિજ્ઞાન પ્રદર્શનીને નિહાળી બાળકોની આવડતને વધાવી લીધી હતી. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ઇંચા. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, નવસારી ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, ગણદેવી નગરપાલિકા પ્રમુખશ્રી ભાવેશકુમાર પટેલ સહિત વિવિધ મહાનુભાવો, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. 

#TeamNavsari #gujarat #gandevi 

Gujarat Information CMO Gujarat

Saturday, 19 October 2024

Khergam news: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

 Khergam news: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.

ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું.

જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું.

તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ભસ્તા  ફળીયા પ્રાથમિક શાળા હાજર થઈ 21 વર્ષ સેવા બજાવી તા 31-10-2024નાં દિને નિવૃત્ત થનાર છે.તેમણે 21 વર્ષની સેવામાં ભસ્તા ફળીયા, સરસિયા ફળિયાનાં લોકો સાથે આત્મીયતાનો ઘરોબો કેળવ્યો હતો. બાળકોનાં શિક્ષણ માટે તેમણે કોઈ કસર બાકી રાખી નહોતી. તેમણે તન મન અને ધનથી નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી સેવા બજાવી છે.

આ નિવૃત્ત વિદાય સન્માન સમારંભનાં પ્રમુખશ્રી તરીકે ઈનચાર્જ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી/પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ જનતા માઘ્યમિક શાળાના ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તથા (નિવૃત્ત કેન્દ્ર શિક્ષક કુમાર શાળા ખેરગામ) અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી મોહિનીબેન પટેલ,વિજયભાઈ રાઠોડ,ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ શિક્ષક મંડળીનાં ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ,  તથા સહ હોદ્દેદારો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું નિવૃત્ત જીવન નીરોગીમય, ભક્તિમય અને સમાજસેવામાં પસાર થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


Thursday, 17 October 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

  Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. 

અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે

આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કરી શિક્ષકોએ એક ઉદાહરણ પૂરું પાડયું છે. ડોક્ટર અબ્દુલ કલામની જેમ બાળકો આગળ વધે અને સારા વૈજ્ઞાનિક બને એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન, તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલ સહિતના હાજર રહ્યા હતા

Wednesday, 16 October 2024

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક.

 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક થઈ છે.  ગુજરાત રાજ્યના 33 જીલ્લાના પ્રમુખશ્રીઓમાં ગુજરાત રાજ્ય કાર્યાધ્યક્ષનો  હોદ્દો નવસારી જિલ્લાને ફાળવાયો છે.હોય સમગ્ર નવસારી જિલ્લા માટે ખુશી અને ગૌરવની બાબત છે.

નવસારી જિલ્લા ઘટક સંઘના તમામ હોદ્દેદારોએ દિલીપભાઇ પટેલને  અભિનંદન પાઠવ્યા. આ  સમાચાર સોશ્યલ મીડિયાનાં માધ્યમ દ્વારા વાયુ વેગે  પ્રસરતા નવસારી જિલ્લાના શિક્ષકોએ પણ અભિનંદન પાઠવ્યા. દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન💐💐

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી

Tuesday, 15 October 2024

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

Kukarmunda : વિકાસ સપ્તાહ અંતર્ગત કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ.

*માહિતી બ્યુરો,તાપી તા. ૧૪* સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અનેકવિધ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે આજે કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કુકરમુંડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત  ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ સપ્તાહને આવરી લેતા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ચિત્રો તથા નિબંધો લખ્યા હતા.આ કાર્યક્રમમાં કુકરમુંડાના મામલતદારશ્રી ઉપસ્થિત રહી સૌ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અંતમાં તમામ શાળાના બાળકો સહીત ઉપસ્થિતિ મહેમાનો,શિક્ષકોએ ભારત વિકાસના શપથ ગ્રહણ કર્યા હતા. 

#VikasSaptah

#23yearsofsuccess

Post courtesy: info Tapi gog 

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન...